Apr 30
2008ધબકારના મુંબઈમાં શબ્દમય અને સૂરીલા શ્વાસ
Filed Under (મુંબઇ) by નીરજ on 30-04-2008
આ મીટિંગને બે વિભાગમાં વહેચંવામાં આવી પહેલા કવિ સંમેલન અને ત્યાર બાદ સુગમ સંગીત એજ રીતે પહેલા કવિ સંમેલનની શરૂઆત થઈ અને ધબકારના કવિઓએ કવિતા પોતાની આગવી શૈલીમાં કાવ્યપઠનની શરૂઆત કરી. ઉગતા નવોદિત કવિઓ એ ગીત, ગઝલ, અછાંદસ સ્વરૂપોમાં પ્રેમ, હાસ્ય, વિરહ, સમાજીક અનિષ્ઠતા અને પ્રકૃતિ સૌંદર્ય જેવા વિવિધ તત્વો આવરી લીધા હતાં
કવિતા રજૂ કરનાર કવિઓમાં કાજલ વાસુ, ખેવના દેસાઈ, વિનય પંડ્યાં ‘સિફર‘, કપિલ દવે, ચેતન ફ્રેમવાળા, ગીરીશ ભાઈ જોષી, પરેશ ભાઈ પંડ્યા,હસમુખ ધરોડ ‘અંકુર‘, અને મંજુલાબેન પાસડ હતાં
ત્યાર બાદ મીટિંગનો બીજો તબ્બકો એટલે સુંગમ સંગીત, જેમ સોનામાં સુંગધ ભળે તેમ શબ્દોમાં સૂર ભેળવવાનો સમય આવ્યો, શબ્દોની સાથે સૂરની રલમછેલ બોલવવાનો સમય આવ્યો. જેમાં નામાંકિત કવિઓ જેવાકે અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, ઝવેરચંદ મેઘાણી જેવા મરજીવાઓએ વિણેલા મોતી જેવી રચનાને સંગીતમય રૂપ આપી એક પછી એક છાબમાં ગોઠવાવા મંડાણી અને છાબ જાણે છલોછલ નવરત્નોથી છલકાઈ ગઈ નવોદિત ગાયકો એ પોતાના સૂરોની જાણે લ્હાણી કરી હોય તેમ સર્વ રસીકોને સૂર અને તાલમાં તરબોળ કરી દિધા.
ભક્તિ સંગીત, ગઝલ, ગીત, સુગમ અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના આત્મા સમુ લોકસાહિત્ય અને માટીની મીઠી મહેક છેક મુંબઈ સુધી પહોંચી ગઈ હતી. ધબકારમાં (સૂર) શબ્દનો સથવારો કરી ને ગાયકોએ શ્રોતાઓને તરબતર કરવા જે ગીતો ગાયા હતા તે આ મુજબ છે
૦૧, શબરી એ બોર કદિ (કદી) ચાખ્યાં હશે - ભાવના દેઢિયા
૦૨, ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યા રે - કાજલ વાસુ
૦૩, સૂના સરવરિયાને કાંઠડે - ખેવના દેસાઈ
૦૪, તમે થોડુ ધણું સમજો તો સારું - નિલાબેન કડકિયા
૦૫, મળે છે જાગૃતિમાં જ્યારે તું - આશીક પુંજાણી
૦૬, એક દી સર્જક ને આવ્યો - આશીષ પુંજાણી
૦૭, કાજળના અંધકારે - વિજલ પટેલ
૦૮, દિકરો (દીકરો) મારો લાડકવાયો - દિપા ગડા
૦૯, હું ક્યાં કહુ છું આપની - હસમુખ ગડા
૧૦, બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે - ચેતન ફ્રેમવાળા (સ્વરચિત)
૧૧, પાટણથી પટોળા મોંઘા લાવજો - હિના શાહ
૧૨, લાલ લાલ ચૂંદડી રંગાવ મારી માડી - ભાવના ડેઢિયા અને હિના શાહ
૧૩, મન મોર બની થનગાટ કરે,શિવ તાંડવ અને દુહા છંદ ની રમઝટ - વિનય પંડ્યા
આવા સરસ ગીતો રજૂ કરીને ગાયકોએ દરેકને મંત્રમુગ્ધ કરી દિધા હતા, અને ખરેખર ખૂબ જ સુંદર સાંજ હતી, કોઈને જવાનું મન નહોતું થતું પણ શું કરીએ જવું તો પડેજ …….
ચેતનભાઈ ફ્રેમવાળાએ ધબકારની મીટિંગમાં આવેલા દરેક કવિ ગાયકો અને શ્રોતાગણ માટે અલ્પહારની વ્યવસ્થા કરેલી અને ધબકારની આ મીટિંગ થયેલ તમામ ખર્ચો ચેતનભાઈ ફ્રેમવાળાએ આપેલ છે એ બદલ ધબકાર એનો ખૂબ ખૂબ આભાર માને છે.