ધબકારના મુંબઈમાં શબ્દમય અને સૂરીલા શ્વાસ

Filed Under (મુંબઇ) by નીરજ on 30-04-2008

 મુંબઈમાં ધબકારના પ્રથમ અને  દ્વિતીય શ્વાસ બાદ ધબકારના સભ્યોની વિવિધ પ્રતિભા દર્શાવતી સોહામણી ક્ષણ એટલે તા. ૧૩/૦૪/૨૦૦૮ ને રવિવારે સાંજે ૩:30 કલાકે યોજાયેલી મીટિંગ . મુંબઈના ઉપનગર ગ્રાંટરોડમાં આભને ટેકો દઈને ઉભી હોય એવી ૧૮ માળની બિલ્ડિંગમાં ૧૧માં માળે રહેતા ચેતનભાઈ ફ્રેમવાળાના નિવાસસ્થાને આ મીટિંગ યોજાયેલી. આ શબ્દમય અને સૂરીલી મીટિંગ મુંબઈનાં ધબકતા ધબકારનું  અનોખુ નજરાણું બની ગઈ. આ કાર્યક્રમની શરૂઆત શ્રી ચંદુલાલ ફ્રેમવાલા ગણપતી વંદના અને સરસ્વતી વંદનનાથી કરી હતી. ત્યાર બાદ રૂપા ગડા એ સ્વાગત રૂપી પુષ્પો વેર્યા હતા અને ધબકારની એક અનોખી સાંજની શરૂઆત થઈ, ધબકારના યુવા સંચલકો ખેવના દેસાઈ અને વિનય પંડ્યાએ સંચાલન નો દોર સંભાળ્યો.

 આ મીટિંગને બે વિભાગમાં વહેચંવામાં આવી પહેલા કવિ સંમેલન અને ત્યાર બાદ સુગમ સંગીત એજ રીતે પહેલા કવિ સંમેલનની શરૂઆત થઈ અને ધબકારના કવિઓએ કવિતા પોતાની આગવી શૈલીમાં કાવ્યપઠનની શરૂઆત કરી. ઉગતા નવોદિત કવિઓ એ ગીત, ગઝલ, અછાંદસ સ્વરૂપોમાં  પ્રેમ, હાસ્ય, વિરહ, સમાજીક અનિષ્ઠતા અને પ્રકૃતિ સૌંદર્ય જેવા વિવિધ તત્વો આવરી લીધા હતાં

 કવિતા રજૂ કરનાર કવિઓમાં કાજલ વાસુ, ખેવના દેસાઈ, વિનય પંડ્યાંસિફર‘, કપિલ દવે, ચેતન ફ્રેમવાળા, ગીરીશ ભાઈ જોષી, પરેશ ભાઈ પંડ્યા,હસમુખ ધરોડઅંકુર‘, અને મંજુલાબેન પાસડ  હતાં

 

ત્યાર બાદ મીટિંગનો બીજો તબ્બકો એટલે સુંગમ સંગીત, જેમ સોનામાં સુંગધ ભળે તેમ શબ્દોમાં સૂર ભેળવવાનો સમય આવ્યો, શબ્દોની સાથે સૂરની રલમછેલ બોલવવાનો સમય આવ્યો. જેમાં નામાંકિત કવિઓ જેવાકે અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, ઝવેરચંદ મેઘાણી જેવા મરજીવાઓએ વિણેલા મોતી જેવી રચનાને સંગીતમય રૂપ આપી એક પછી એક છાબમાં ગોઠવાવા મંડાણી અને છાબ જાણે છલોછલ નવરત્નોથી છલકાઈ ગઈ નવોદિત ગાયકો એ પોતાના સૂરોની જાણે લ્હાણી કરી હોય તેમ સર્વ રસીકોને સૂર અને તાલમાં તરબોળ કરી દિધા.

 ભક્તિ સંગીત, ગઝલ, ગીત, સુગમ અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના આત્મા સમુ લોકસાહિત્ય અને માટીની મીઠી મહેક છેક મુંબઈ સુધી પહોંચી ગઈ હતી. ધબકારમાં (સૂર) શબ્દનો સથવારો કરી ને ગાયકોએ શ્રોતાઓને તરબતર કરવા જે ગીતો ગાયા હતા તે આ મુજબ છે

 

૦૧, શબરી બોર કદિ (કદી) ચાખ્યાં હશે - ભાવના દેઢિયા

 ૦૨, ગાયો ચારીને ગોવિંદ ઘેર આવ્યા રે   - કાજલ વાસુ

 ૦૩, સૂના સરવરિયાને કાંઠડે - ખેવના દેસાઈ

 ૦૪, તમે થોડુ ધણું સમજો તો સારું - નિલાબેન કડકિયા

 ૦૫, મળે છે જાગૃતિમાં જ્યારે તું    - આશીક પુંજાણી

 ૦૬, એક દી સર્જક ને આવ્યો   - આશીષ પુંજાણી

 ૦૭, કાજળના અંધકારે   - વિજલ પટેલ

 ૦૮, દિકરો (દીકરો) મારો લાડકવાયો - દિપા ગડા

 ૦૯, હું ક્યાં કહુ છું આપની - હસમુખ ગડા

 ૧૦, બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે  - ચેતન ફ્રેમવાળા (સ્વરચિત)

 ૧૧, પાટણથી પટોળા મોંઘા લાવજો   - હિના શાહ

 ૧૨, લાલ લાલ ચૂંદડી રંગાવ મારી માડી   - ભાવના ડેઢિયા અને હિના શાહ

 ૧૩, મન મોર બની થનગાટ કરે,શિવ તાંડવ અને  દુહા છંદ ની રમઝટ    - વિનય પંડ્યા

 

આવા સરસ ગીતો રજૂ કરીને ગાયકોએ દરેકને મંત્રમુગ્ધ કરી દિધા હતા, અને ખરેખર ખૂબ જ સુંદર સાંજ હતી, કોઈને જવાનું મન નહોતું થતું પણ શું કરીએ જવું તો પડેજ …….આ રમણીય સાંજ હસમુખભાઈ ધરોડની આભારવિધિ સાથે પૂર્ણ થાય છે

 ચેતનભાઈ ફ્રેમવાળાએ  ધબકારની મીટિંગમાં આવેલા દરેક કવિ ગાયકો અને શ્રોતાગણ માટે અલ્પહારની વ્યવસ્થા કરેલી અને ધબકારની આ મીટિંગ થયેલ તમામ ખર્ચો ચેતનભાઈ ફ્રેમવાળાએ આપેલ છે એ બદલ ધબકાર એનો ખૂબ ખૂબ આભાર માને છે.

  

મુંબઈના આગણે ‘ધબકાર’ પડઘાયો !!

Filed Under (મુંબઇ) by નીરજ on 19-01-2008

Tagged Under : , , , , , , , , , , , , , , , , , , , , , ,

ધબકાર સાથે સંકળાયેલાં મુંબઈવાસી મીત્રો સૌ જેની આતુરતાથી રાહ જોતા હતા. તે ધબકારની પ્રથમ સભા ખુબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં અને સફળતાપુર્વક મુંબઈના ઉપનગર વિલેપાર્લે (પશ્વિમ)માં આવેલા ઈશ્વરલાલ ખાતે તારીખ ૧૯ જાન્યુઆરીનાં સાંજે ૪:૦૦ વાગે યોજાઈ ગઈ.

સભાનો સમય સાંજના ૪:00 વાગ્યાનો હતો પણ મુંબઈમાં દૂર દૂર વસતાં ધબકારનાં સૌ સભ્યો ૪:40 સુધીમાં આવી પહોચ્યાં હતાં. આ સૌ સભ્યોનાં નામ આ પ્રમાણે છે :

૦૧ - કપિલ દવે
૦૨ - નેહા મહેતા
૦૩ - વિજય વસાણી
૦૪ - ખેવના દેસાઈ
૦૫ - લોપાબેન વ્યાસ
૦૬ - ગીરીશભાઈ જોષી
૦૭ - સોનલ ઠક્કર
૦૮ - હસમુખભાઈ ધરોડ “અંકુર”
૦૯ - ચેતનભાઈ ફ્રેમવાળા
૧૦ - ભાવેશ પટેલ
૧૧ - ચંદ્રેશ કાપડીયા
૧૨ - વિકાસ ચાવડા
૧૩ - ભાવિક શાહ
૧૪ - હેંમત મિસ્ત્રી
૧૫ - જિમીત મલ અને
૧૬ - પ્રાચીબેન વ્યાસ.

સભાની શરુઆતમાં શ્રી…એ ‘ધબકાર’નો પરીચય આપીને સૌને એક અવનવીન પ્રવૃત્તીનો ધબકાર આપ્યો. નેહાબેને ધબકાર અંગે પોતાની વીશીષ્ટ શૈલીમાં રજુઆત કરી. જ્યારે કપિલ દવેએ સૌ સભ્યોને ‘ધબકાર’ વિશે સમાચારપત્રોમાં આવેલા લેખ બતાવીને પ્રોત્સાહિત કર્યા હતા. અમદાવાદમાં ધબકારની જે જે પ્રવૃત્તિઓ ચાલે છે તે અંગે પણ રસપ્રદ રજુઆતો થઈ.

ત્યાર બાદ અમદાવાદથી કાંક્ષિત મુનશીએ મોકલાવેલ પત્રનું વાચન ખેવનાબેને કર્યુ.અને ‘ધબકાર’ દ્વારા પ્રગટ થનારા કાવ્યસંગ્રહ અંગે પણ વિગતે જણાવ્યુ .

આ સભાના મુખ્ય કાર્યક્રમમાં તો કાવ્યવાચન અને કાવ્ય-ગઝલ વિષે જ રજુઆતો થવાની હોઈ અનુક્રમે આરંભમાં કેટલાક સ્થાનીક સર્જકોની રચનાઓ રજૂ થઈ હતી. પોતાની કૃતિઓનું પઠન કરનારાંઓમાં આ સભ્યોનો સમાવેશ થતો હતો :

હસમુખભાઈ, ગિરીશભાઈ, ખેવનાબેન, વિજયભાઈ અને ચેતનભાઈ.એમના કાવ્યપઠનથી સભ્યોએ સ્થાનિક સર્જકોની રચનાઓનો આસ્વાદ તો માણ્યો જ પરંતુ મુંબઈને આંગણે પોતાનાં જ નવલાં સર્જકો દ્વારા હાથ ધરાયેલી આ વીશેષ પ્રવૃત્તિનો રોમાંચ પણ અનુભવ્યો - કહોને, એક અજબ ધબકાર જ અનુભવ્યો ! સ્થાનિક મિત્રોની રચનાઓનો એક જુદા જ પ્રકારનો એવો આનંદ સૌમાં વ્યાપી વળ્યો અને અનેકને એમાંથી પ્રેરણા પણ પ્રાપ્ત થઈ.

સ્વરચનાઓનું આ પઠન પણ કવિતા અને ગઝલ વિશેની ચર્ચા કરતાં કરતાં જ થતું હોઈ કાર્યક્રમને એક નવો આયામ પણ મળ્યો અને ‘ધબકાર’ને એક નવું પરિમાણ પણ મળ્યું.

આ સાથે જ હાજર સભ્યોમાંથી કેટલાંકે, જેઓ વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે તે તે પ્રવૃત્તિઓનો પણ લાભ ‘ધબકાર’ને આપવાની તત્પરતા દર્શાવીને પોતપોતાની પ્રવૃત્તિઓ અંગે વિગતે રજુઆતો કરી !

જિમીતભાઈએ જણાવ્યુ કે તેઓ ‘World Space Satellite Radio’ પર થી પ્રસારિત થતી એક માત્ર ગુજરાતી રેડિયો ચેનલ “રેડિયો ઉંમગ” પર કામ કરી રહ્યા છે અને તેઓ ‘રેડીયો ઉંમગ’ પરથી ‘ધબકાર’ ગૃપને રજૂ કરશે !

જ્યારે ચેતનભાઈ ફ્રેમવાળાએ જણાવ્યું હતું કે તેમની પાસે હાર્મોનિયમ, તબલાં અને ગીટાર જેવાં સંગીતનાં સાધનો ઉપરાંત પુરતી જગ્યા પણ હોવાથી હવે પછીની સભાઓ અને રિહર્સલ વગેરે નો લાભ ધબકાર ગ્રુપ લઈ શકે છે.

આજની આ સૌ પ્રથમ જ સભા હતી એટલે ઉત્સાહ તો અત્યંત હતો. અવનવીન વાતોએ એમાં જાણે રંગોળીઓ પૂરી હતી ! આ બધી વાતો અને રજુઆતોમાં ૬:30 ક્યારે વાગી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો. મુંબઈના દૂર દૂરના વિસ્તારોમાં સૌને પહોંચવાનું હતું. પાંચેક સભ્યોને લગ્નમાં પણ જવાનુ હતું. જ્યારે મુંબઈના જાણીતા ગણગણાટકો - મચ્છરો -નું આગમન પણ સભાને બરખાસ્ત કરવા મજબૂર કરવા તત્પર થયું હોઈ અમારે મીટીંગને વિરામ આપવો પડ્યો હતો.

અને આ વિરામ સાથે જ એક તરફ એક કાર્યક્રમ પૂરો થતો હતો, તો બીજી તરફ ‘ધબકાર’નો ધમાકેદાર પ્રવેશ મુંબઈમાં થઈ ચુક્યાનો અહેસાસ સૌ અનુભવી રહ્યાં હતાં. અમદાવાદને આંગણે જેનાં બીજ રોપાયાં એ ‘ધબકાર’ને આ નવી ભુમિમાં પણ રોપાવાની મળેલી તક એ આ સભાની અવિસ્મરણીય બાબત હતી.

મુંબઈનાં સૌ કોઈ સભ્યોને ધન્યવાદ આપીને અને આરંભાઈ ચૂકેલા આ નવા વાતાવરણને અવારનવાર માણતાં રહેવાનો નિશ્ચય કરીને સૌએ એકબીજાને વિદાય આપી હતી.