બે-ચાર પળ

Filed Under (દિગિશા શેઠ પારેખ) by admin on 05-05-2008

Tagged Under : , , , , , ,

હવે જિંદગી પર નથી કોઈ વહેમ મને,
ને ખબર નથી મોત પછી શું અંજામ છે..

થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..

ઘણા જુવે મારી રાહ ને ઘણે લાગાવ છે મને,
આખરમાં કહી દઉં તેમને આ જીવ હવેથી હરામ છે..

પછી લઈ જા ભલે કરી કેદ તું મને ,
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે

દિગિશા શેઠ પારેખ

Comments:

Total 2 Comments posted બે-ચાર પળ

Leave a Reply