May 05
2008બે-ચાર પળ
Filed Under (દિગિશા શેઠ પારેખ) by admin on 05-05-2008
Tagged Under : dhabkar, dhabkar kavi, dhabkar poem, dhabkar poetry, gujarati, gujarati kavita, ubharata kavio
હવે જિંદગી પર નથી કોઈ વહેમ મને,
ને ખબર નથી મોત પછી શું અંજામ છે..
થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..
ઘણા જુવે મારી રાહ ને ઘણે લાગાવ છે મને,
આખરમાં કહી દઉં તેમને આ જીવ હવેથી હરામ છે..
પછી લઈ જા ભલે કરી કેદ તું મને ,
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે
દિગિશા શેઠ પારેખ